કોરોનાના સંક્રમણને રોકવા માટે અમદાવાદ કોર્પોરેશન વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં તમામ મોટા એકમો /કચેરીઓ /સંસ્થાઓમાં કો-ઓર્ડીનેટર ની નિમણૂક ફરજિયાત કરવામાં આવી છે.
તારીખ 13/08/2020 ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી કુમાર આઇ.એ.એસ, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ડેપ્યુટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવ્યા.
* શહેરના તમામ મોટા (૩૦થી વધુ લોકો કામ કરતા હોય તેવા) એકમો/કચેરીઓ/સંસ્થાઓના માલિક/સંચાલકે કોવીડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે સંબંધિત ઝોનમાં જાણ કરવાની રહેશે.
* નિયુક્ત થયેલા કોવીડ કો-ઓર્ડીનેટર જે તે સંસ્થામાં કોવીડ કેર અંગેની જરૂરી કાળજી માટે તેમજ સામાજિક અંતર ચુસ્તપણે જાળવવા તેમજ અન્ય તમામ નિયમોનું પાલન કરાવવા માટે જવાબદાર રહેશે. 30થી ઓછા લોકો કામ કરતા હોય તેવા એકમો આ બાબતે સંબંધિત માલિક/સંચાલક ની જવાબદારી રહેશે.
* અનલોક-૩ ના સમયગાળા માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા (SOP) નું પાલન કરવું.
* જે તે સંસ્થામાં દાખલ થતા પ્રત્યે કર્મચારી અથવા મુલાકાતીને ફેસ માસ્ક પહેરીને થર્મલ ગનથી તાપમાન માપીને તથા હેન્ડ સેનિટાઈઝર કરીને પછી જ પ્રવેશ આપવામાં આવે.
* કોઇપણ કર્મચારી કે મુલાકાતીને કોરોના અંગેના કોઇ પણ લક્ષણ જેવા કે, તાવ, કફ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ હોય વગેરે લક્ષણો જણાય તો તેને પ્રવેશ આપવાનો રહેશે નહીં. અને આવા લક્ષણ ધરાવતા કર્મચારીને નજીકના અર્બન હેલ્થ સેન્ટર લઈ જઈને covid-19 માટે નો ટેસ્ટ કરાવવાની જવાબદારી અને પોઝિટિવ આવવાના કિસ્સામાં તરત જ નિયત પત્રકમાં તેનો અહેવાલ સંબંધિત ઝોનલ કચેરીને મોકલવાની જવાબદારી કોવિડ કો-ઓર્ડીનેટરની રહેશે.
* કોવિડ કો-ઓર્ડીનેટર દ્વારા જે તે સંસ્થા દ્વારા તેની જગ્યા માં કોરોના સંક્રમણને અટકાવવા માટેના તમામ આવશ્યક પગલાં લેવામાં આવે છે તેેેનો પખવાડિક અહેવાલ નિયત કરેલ સ્વરૂપમાં સંબંધિત ઝોનલ કચેરીને મોકલી આપવાનો રહેશે.

