મહારાષ્ટ્રમાં એક મોટી કુદરતી દુર્ઘટના સર્જાઈ છે. સોમવારેની સાંજે રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ એવા સમાચાર મળ્યા છે. લોકોની વાસ્તવિક સંખ્યા અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ એવો અનુમાન છે કે લગભગ 50થી વધુ લોકો ઇમારતના કાટમાળમાં ફસાયા હશે.
![]() |
ANI Image - Maharashtra's Raigad district Tariq Garden building |
માહિતી પ્રમાણે ઘટનાની ગંભીરતાને જોતા પુણેથી NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના કરી છે. લગભગ 50થી વધુ લોકો ઇમારતના કાટમાળમાં ફસાયા હશે. હાલ તેઓ ને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય રેસ્ક્યૂ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Today at about 1850 hrs, A G+4 building collapsed in Kajalpura area of Mahad Tehsil in Dist. Raigad, Maharashtra.
— ANI (@ANI) August 24, 2020
About 50 people are feared to be trapped. 3 teams of 5 BN NDRF have moved: National Disaster Response Force (NDRF) pic.twitter.com/XlWegCSHqq
આ બનાવ અંગે જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ એક ખાનગી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આ ઇમારત 10 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. ઇમારતના ઉપર ના ત્રણ માળ પડી ગયા છે. આ ઇમારતમાં 50થી60 લોકો દટાયા હશે તેવું અનુમાન છે. તેમણે કહ્યું કે આ ઇમારત તળાવની પાસે આવેલી છે. મકાન બનાવવામાં ખરાબ મટિરિયલ અથવા ડિઝાઇનિંગની સમસ્યા હતી, આ તપાસનો વિષય છે. અત્યારે અમે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી વધુમાં વધુ લોકોને બચાવી શકીએ.
The collapse of a building in Raigad, Maharashtra is very tragic. Have spoken to DG @NDRFHQ to provide all possible assistance, teams are on the way and will be assisting with the rescue operations as soon as possible. Praying for everyone’s safety.
— Amit Shah (@AmitShah) August 24, 2020
ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને દુ:ખદ ગણાવી અને લખ્યું કે, મહારાષ્ટ્રમાં રાટગઢમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના ખૂબ જ દુ:ખદ છે. NDRFના ડીજીથી આ અંગે વાત થઈ અને દરેક જરૂરી મદદ પહોંચાડવાનું કહ્યું છે. તેમની ટીમ રસ્તામાં છે. તેઓ જલ્દી ઘટનાસ્થળે પહોંચી કામ શરૂ કરી દેશે. બધા લોકો સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરું છું.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.