અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં અટકાવવા માટે AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ, બોપલ, આંબલી, YMCAથી કાકે દા ઢાબા સહિતનાં 27 વિસ્તોરમાં અંકુશ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો ખોલી શકાશે નહીં. અમદાવાદમાં અનલોકના તબક્કામાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતાં AMC દ્વારા ફરીથી રાત્રે દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.
આ વિસ્તારોમાં રાત્રે દુકાનો નહીં ખોલી માટે અંકુશ લગાવ્યો
1. પ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
4. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
5. એસજી હાઈવે
6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
14. સીજી રોડ
15. લો ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવના ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
18. ડ્રાઈવ ઈન રોડ
19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. IIM રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ
રવિવારની રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ 7 કાફે અને રેસ્ટોરન્ટ ભારે ભીડને કારણે સીલ કરી દેવામાં આવ્યા હતા. અને લોકો માસ્ક વગર બિન્દાસ ફરતાં હતા. અનલોક બાદ દુકાનો શરૂ કરવાની મંજૂરી આપતાં પશ્ચિમ વિસ્તારમાં લોકો બહાર રસ્તાઓ પર ઉભા અને બેસી રહેતાં હતા. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય રહેતો હતો. અને આના કારણેઅમદાવાદના OSD રાજીવ ગુપ્તા દ્વારા આ મોટો નિર્ણય લેવાયો હતો.