મહારાષ્ટ્રમાં થાણેના ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી 10નાં મોત


મહારાષ્ટ્રમાં થાણેના ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ. આ દુર્ઘટના રવિવાર રાત્રે 3:40 મિનિટે બની હતી. તેમા10 લોકોનાં મૃત્યુ થયાં છે. કાટમાળમાં હજુ પણ 20થી 25 લોકો દટાયા હોવાની સંભાવના છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. આ બિલ્ડિંગ 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ઇમારત ઈ.સ. 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મૃત્યુ નું સમર્થન આપ્યું છે.