ગુજરાત : આજે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 1,30,391 એ પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યમાં કુલ 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 952.49 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 41,10,186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,442 કેસ નોંધાયા છે. આજ રોજ 1,279 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે અને અત્યાર સુધીમાં કુલ 1,10,490 દર્દીઓ સાજા થયેલ છે અને સાજા થવાનો દર રાજ્યનો 84.74% થયેલ છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,99,639 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,99,252 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન છે અને 387 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઇન માં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં આજ રોજ મૃત્યુ પામેલ ની સંખ્યા
રાજ્યમાં આજ રોજ કોવીડ-19 ના કારણે કુલ 12 લોકોના મૃત્યુ પામેલ છે જેની વિગત નીચે મુજબ છે અમદાવાદ કોર્પોરેશન- 3, રાજકોટ કોર્પોરેશન - 2, વડોદરા કોર્પોરેશન - 2, બનાસકાંઠા - 1, સુરત - 1, સુરત કોર્પોરેશન - 1, ગાંધીનગર - 1, વડોદરા - 1 આમ કુલ 12 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં આજ રોજ જિલ્લા પ્રમાણેના કેસ
રાજ્યમાં આજ રોજ કોવીડ-19 ના જિલ્લા પ્રમાણેના કેસ સુરત કોર્પોરેશન - 184, અમદાવાદ કોર્પોરેશન - 160, સુરત - 116, જામનગર કોર્પોરેશન - 102, રાજકોટ કોર્પોરેશન - 111, વડોદરા કોર્પોરેશન - 94, રાજકોટ - 37, મહેસાણા - 48, વડોદરા - 40, પંચમહાલ - 27, ભાવનગર - 16, બનાસકાંઠા - 41, અમરેલી - 34, પાટણ - 34, કચ્છ - 30, ભાવનગર કોર્પોરેશન - 29, સુરેન્દ્રનગર - 28, ભરૂચ - 26, મોરબી - 25, ગાંધીનગર કોર્પોરેશન - 24, ગાંધીનગર - 24, અમદાવાદ - 22, જુનાગઢ - 17, જુનાગઢ કોર્પોરેશન - 16, સાબરકાંઠા - 14, આણંદ - 13, દાહોદ - 12, જામનગર - 12, મહીસાગર - 12, ગીર સોમનાથ - 11, અરવલ્લી - 10, બોટાદ - 10, ખેડા - 10, નર્મદા - 10, દેવભૂમિ દ્વારકા - 09, નવસારી - 09, તાપી - 07, છોટાઉદેપુર - 07, વલસાડ - 07, પોરબંદર - 04 આમ કુલ 1442 નવા આવેલ છે.