ગુજરાતના અલગ - અલગ જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉન, ક્યાં લોકડાઉન, કેટલા દિવસ, શું ખુલ્લું અને શું બંધ?

ગુજરાત : રાજ્યમાં કોરોના સક્ર્મણનો કહેર ફેલાઈ રહ્યો છે, આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે હવે લોકો જાતે સમજીને લોકડાઉન જાહેર કરી રહ્યા છે. રાજ્ય સરકારે તો ધીરે ધીરે અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા લોકો સ્વંયભૂ લોકડાઉન કરી રહ્યા છે. આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વંયભૂ લોકડાઉન જાહેર કર્યું છે.
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં અમલમાં રહેશે.  સવારે 8 થી 11 જીવનજરૂરી ચીજો માટે બજાર ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલી મહોલ્લામાં જઈ  જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. આ સ્વયંભૂ બજાર બંધ વચ્ચે આવશ્યક સેવાઓ દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. 7 દિવસ દાણાપીઠમાં લોકડાઉન રહેશે. રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. અને બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.

સુરતના માંગરોળ તાલુકા મથકે ગ્રામ પંચાયતે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને  આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.