RTE માં પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો વાલી શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો 30 સપ્ટેમ્બર સુધી બદલી શકશે

પ્રતીકાત્મક તસ્વીર

ગુજરાત : જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.28/09/2020 થી તા.30/09/2020 સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.