ગુજરાત : ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ મૃત્યુ થયું છે. નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવદેહને યુએન મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સુપરસ્ટાર નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન થયા છે.
ગાંધીનગર સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તમામને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરી હતી. સ્મશાનગૃહમાં ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા છે, સાથે જ લોકોએ તેમના પાર્થિવદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. સબવાહિનીનો દરવાજો ખૂલતાં જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થઈ ગયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
In a span of two days, we have lost both Maheshbhai and Nareshbhai Kanodia. Their contributions to the world of culture, especially popularising Gujarati songs, music and theatre will never be forgotten. They also worked hard to serve society and empower the downtrodden. pic.twitter.com/Ri4GzOO5zo
— Narendra Modi (@narendramodi) October 27, 2020
ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!
— Narendra Modi (@narendramodi) October 27, 2020
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મજગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું હતું કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમશાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે pic.twitter.com/7lAiDtPYHx
— Vijay Rupani (@vijayrupanibjp) October 27, 2020